Tuesday, September 17, 2024
HomeGujaratહળવદમાં જાહેરાતના હોર્ડિંગ બની શકે છે કોઈકના મોતની જાહેરાતનું કારણ:સંભવિત વાવાઝોડાની આગાહી...

હળવદમાં જાહેરાતના હોર્ડિંગ બની શકે છે કોઈકના મોતની જાહેરાતનું કારણ:સંભવિત વાવાઝોડાની આગાહી છતાં જોખમી હોર્ડિંગ યથાવત

શહેરની શોભા ને‌ અભડાવતા અને વાહનચાલકો પર મોત બનીને લટકતા ગેરકાયદે હોર્ડિંગ્સ બોર્ડ મંજૂરી વિના આડેધડ ખડકાયેલા હોડીગ્સ દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે પરંતુ કા તો હળવદ નગરપાલીકના સતાધીશો રસ્તા પર નીકળતા નહિ હોય અથવા રસ્તે નીકળે ત્યારે આ લટકતું મોત દેખાતું નહિ હોય વાવાઝોડા ની આગાહીને પગલે જોખમી વસ્તુઓ દૂર કરવાની તંત્રે કામગીરી કરવાની હોય છે પરંતુ હળવદમાં તંત્ર ને કશો ફરજ નથી પડતો

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરમાં મંજૂરી વગર મન ફાવે ત્યાં લગાવાયેલ હોર્ડિંગ્સએ માઝા મુકી છે.હળવદ શહેરમાં ‌ છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના ડીવાઈડર ના વીજ થાંભલા તથા શહેરમાં મનફાવે તેમ ગમે તે જગ્યાએ ‌ હોર્ડિંગ્સ લગાવી અન્ય લોકોના જીવ જોખમ માં મૂકી પોતાની જાહેરાત કરતા લોકોએ માઝા મુકી દીધી છે.

હળવદ શહેરના મુખ્ય બજાર સહિતના અન્ય ગીચ વિસ્તારોમાં વાહનચાલકો પર મોત બનીને ત્રાટકતા ગેરકાયદે હોર્ડિંગ્સ મંજૂરી વિના આડેધડ ખડકાયેલા હોડીગ્સ દૂર કરવા તંત્ર દ્વારા કોઈની પણ શહેશરમ રાખ્યા વગર સટાસટી બોલાવી તેવી શહેરીજનો માં માંગણી ઉઠવા પામી છે. જોગણી માં ના મંદીર થી છેક વૈજનાથ ના ચોકડી સુધી અને અન્ય જગ્યા એ જ્યાં મન ફાવે તેમ હાઈવે રોડ પર મેઇન બજારમાં હોડીગ્સ લગવા માં આવ્યા છે.ગમે તે જગ્યાએ કોઈ ને અડચણ રૂપ કે આડેધડહોડીગ્સ હળવદ ચારેબાજુ લગાડવા માં આવ્યા છે.જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને અકસ્માત નું જોખમ રહેલું છે.

પાલિકા દ્વારા હોર્ડિંગ્સ નો ચાર્જીસની વસુલે છે? કે ડાયરેક્ટર લાગત વળગતા પોબારા લઈ લે છે? તેમજ પાલિકાના સતાધીશો હળવદ શહેરમાં નથી નીકળતા? અને જો નીકળે છે તો આ લટકતું મોત નથી દેખાતું ?આવા અનેક સવાલો શહેરીજનો માં ચર્ચાઇ રહયા છે. આગામી સમયમાં હળવદ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી હળવદ શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!