Monday, April 29, 2024
HomeGujaratએકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાઈફ કેર ક્લિનિક દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ...

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાઈફ કેર ક્લિનિક દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાશે

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાઈફ કેર ક્લિનિક ટંકારા દ્વારા નિ: શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આગામી તારીખ 29-10-2023 ને રવિવારના રોજ નગરના કાર રોડ પોલીસ સ્ટેશન ની બાજુમાં મોમીન સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાઇફ કેર ક્લિનિક દ્વારા ટંકારામાં નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું 29-10-2023 રવિવારના રોજ આયોજન કરાયું છે. જેમાં અલગ-અલગ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં રીધમ હાર્ટ ક્લિનિક રાજકોટના ડૉ નિલેશ કથીરીયા, સિવિલ હોસ્પિટલ રાજકોટના ડૉ પંકજ પાટીલ, ક્રિષ્ના હોસ્પિટલ મોરબીના ડૉ ભૌમિક સરડવા, શ્રી હરિ હોસ્પિટલ મોરબીના ડૉ દિવ્યેશ શેરસિયા, ડૉ જયદીપ ભીમાણી અને ડૉ સાગર ગમઢા તેમજ ચિરાયુ હોસ્પિટલ મોરબીના ડૉ સરદ રૈયાણી, લાઇફ કેર ક્લિનિક ટંકારાના ડૉ સાકીર માથકિયા સેવા આપશે. તેમજ કેમ્પમાં આવતા લોકોને ડોક્ટર દ્વારા હૃદય રોગો, ફેફસાના રોગો,મગજના રોગો, લોહીની બીમારીઓ, તાવ,પેટના રોગો, બાળ રોગો, હાડકા અને સાંધાના રોગો અને ચામડીના રોગોનું નિદાન કરવામાં આવશે. તેમજ કેમ્પમાં E.C.G ( કાર્ડિયોગ્રામ, હદય ની પટ્ટી) ફ્રી, ડાયાબિટીસની તપાસ ફ્રી, જરૂરિયાત વાળા દર્દીઓને તપાસ ફ્રીમાં આપવામાં આવશે. તેથી મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય માટે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લે તેવી વિનંતી આયોજકો દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!