દયાનંદ ઓવરબ્રિજ ઉપરથી પડતું મૂકનારી મહિલાનું સારવાર દરમિયાન મોત
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે પટેલ પરીવારના ભાવનાબેન હસમુખભાઈ કગથરા ઉ. વ 52 અગમ્ય કારણોસર આજે વહેલી સવારે ધરેથી નિકળી ટંકારા સાતેક વાગ્યાના અરસામાં ઓવરબ્રિજ ઉપરથી છલાંગ લગાવી આપધાત કરી લીધો હતો .
જોકે આ અંગે કોઈ સુસાઈડ નોટ છે કે કેમ એ પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે. આ અંગે પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી તપાસ આદરી છે ભાવનાબેનના પતી હસમુખભાઈનુ ગત શિયાળામાં દુઃખદ અવસાન થયેલ સંતાનમાં એક દિકરો છે જે ડોક્ટરી અભ્યાસ અને પ્રેક્ટિસ કરે છે અને અપરિણીત છે એક દિકરી છે જે ગામમા સાસરે છે.નાના એવા ગામમાં અપમુત્યુથી ભારે શોક વ્યાપી ગયો છે.પતિના અવસાન બાદ એકલતાથી કંટાળી આવુ પગલું ભર્યાનુ અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.