Wednesday, July 23, 2025
HomeGujarat"સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી" ગાંધીયુગના મહાન કવિશ્રી ઉમાશંકર...

“સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી” ગાંધીયુગના મહાન કવિશ્રી ઉમાશંકર જોશી:વાંચો મહાન વ્યક્તિવની અનેરી ઝાંખી

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

- Advertisement -
- Advertisement -

               

તેઓ ગુજરાતના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા – પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ

                 

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા.

કવિ શ્રી ઉમાશંકર જોશી રચિત કાવ્યો અને લેખો.
મુખ્ય કૃતિ – નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
પદ્ય નાટકો – પ્રાચીના, મહાપ્રસ્થાન
એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
સંશોધન – પુરાણોમાં ગુજરાત , ‘અખો’ એક અધ્યયન ;
વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
ચિંતન – ઇશાવાસ્યોપનિષદ
પ્રવાસ – યુરોપયાત્રા (અંગ્રેજી)
બાળગીત – સો વરસનો થા
સંપાદન – કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
તંત્રી – ‘સંસ્કૃતિ’ ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ છે.

આ ઉપરાંત કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ નામે , હિંમતનગર ખાતે બ્રિજ પણ બનેલ છે તેઓને તેના જીવન કાળ દરમ્યાન ૧૯૬૭ માં જ્ઞાનપીઠ પુરસ્કાર ,૧૯૩૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક,૧૯૪૭ માં નર્મદ સુવર્ણ ચંદ્રક,૧૯૬૩ માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક,૧૯૭૩ maસોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ થી પણ સન્માનિત કરાયા હતા.

તેઓને જુદી જુદી સંસ્થાઓમાં સભ્ય પદે પણ નિમણૂક કરાઇ હતી જેમાં ૧૯૬૫ નેશનલ બુક ટ્રસ્ટ , ૧૯૬૬ માં કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિમાં સભ્ય તરીકે ,૧૯૬૮ માં ગુજરાતી સાહિત્ય પરિષદ માં પ્રમુખ તરીકે
૧૯૭૮ થી ૧૯૭૨ સુધી સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી માં પ્રમુખ તરીકે બાદમાં ૧૯૭૦ માં ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ તરીકે અને ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી રાજ્યસભાના સભ્ય તેમજ ૧૯૭૯ થી ૧૯૮૨ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં કુલપતિ ,૧૯૭૯ થી ૧૯૮૨ સુધી શાંતિનિકેતન સંસ્થામાં
પ્રમુખ તરીકે અને ૧૯૭૮ થી ૧૯૮૩ સુધી દિલ્હી સાહિત્ય અકાદમી ના પ્રમુખ તરીકે પણ ઉમાશંકર જોશીએ સેવા આપી છે.

આવા મહાન અને હોનહાર લેખક વિદ ગુજરાતી સાહિત્યના શિરમોર વિવેચક કવિ શ્રી ઉમાશંકર જોશીજી ની જયંતી પર તેમને શત્ શત્ નમન કરી તેના યાદોમાં આ લેખ મોરબી મીરર ટીમ દ્વારા અર્પિત કરવામાં આવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!