પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ત્યારે પેટા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના મહેશ રાજકોટિયા કાર્યકરોને ટકોર કરતા જણાવવામાં આવ્યું છે કે, “ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી હીરો બનો” ચર્ચા ચવાણું રૂપિયા કે ચપલાથી ચુટાવુએ શેખચલ્લી સ્વપ્ના સમાન છે.
ગુજરાતની પેટા ચૂંટણીના પરીણામ બાદ પાટીદાર અગ્રણી, પાસના દિગ્ગજ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયાએ સેવાનો ઝંડો પકડી નેતાગીરી કરતાને લોકોની વચ્ચે રહી કામ કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, “ગ્રાઉન્ડ ઝીરો પર જઈને નેતાઓએ લોકોની સમસ્યાઓ સાંભળવી જોઈએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ. આવું કરવાથી જ નેતા ખરા અર્થમાં હીરો બની શકે છે.” મહેશ રાજકોટિયા પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે, તેમણે ચૂંટણી પરિણામો બાદ નેતાઓને સમાજના મૂળ સ્તરે કામ કરવા પ્રેર્યા છે. તેમનું આ નિવેદન સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, “ચૂંટણી જીતવી એ માત્ર શરૂઆત છે, ખરી જવાબદારી તો લોકોના હૃદય જીતવાની છે.” મહેશ રાજકોટિયાનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, અને નેતાઓને લોકો સાથે સીધો સંવાદ સાધવા માટે પ્રેરણા આપે છે. અંતમા કહું કે ચુંટણી ટાણે ચર્ચા ચવાણું ને ચપલાથી ક્યારેય ચુટાવુ શક્ય નથી. અમારી ટિમ લોકોની વચ્ચે રહીને લોકોના મુસિબત-મુંજવતા પ્રશ્નોને સમજીને તાત્કાલિક નિરાકરણ લાવવા મોરબી જિલ્લાથી દાખલો બેસાડી નવી શરૂઆત કરી એજ અમારો અભિગમ છે જેને 100% પૂર્ણ કરવા સતત સંઘર્ષ કરીશું.