ટંકારાના 24 ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર છે. જેમાં લજાઈ ગામે સરપંચ માટે 5 તો સભ્ય માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ગજડી ગામે સરપંચ માટે 1 તો સભ્ય માટે 8 ફોર્મ ભરાયા છે. જબલપુર ગામે સરપંચ માટે 1 અને સભ્ય માટે 14 ફોર્મ ભરાયા છે. હરિપર, લખધીરગઢ અને વિરવારમાં સરપંચ માટે એક-એક ફોર્મ ભરાયા છે. જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્ય માટે એક-એક ફોર્મ ભરાયા છે. બાકીના ગામોમાં કોઈ પણ ઉમેદવારે ચુંટણી મેદાનમાં ઉતારવાનું ટાળતા બેઠકો ખાલી રહશે.
આગામી 25 મી એ યોજાનારી રાજ્યની સ્થાનિક ગ્રામ પંચાયતો ની ચુંટણીના સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટંંકારા તાલુકાની 24 ગ્રામ પંચાયતની ચુંટણી માટે મોટાભાગના ગામડાઓએ સુસ્તતા દાખવી હોવાનુ ચિત્ર ઉપસ્યુ હતુ. 24 ગામડામાંથી માત્ર લજાઈ એક જ ગામે સરપંચ પદ માટે પાંચ ફોર્મ ભરાયા હતા જ્યારે, ભૂતકોટડા, અને સજનપર ગામે ગત ટર્મના સરપંચોએ રાજીનામા ધરી દીધા બાદ ફરી આવેલી પેટા ચુંટણીમાં એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ફરી ગ્રામ પંચાયત સેનાપતિ વગર સૈનિકો (સભ્યો) થી જ વહીવટ ચાલે એવુ દ્શ્ય ઉપસ્યુ છે. જ્યારે, લખધીરગઢ, હરિપર અને વિરવાવ ગામે ખાલી પડેલી સરપંચ પદની બેઠક માટે માત્ર એક એક ઉમેદવારના ફોર્મ આવતા અહીંયા પેટા ચુંટણીમાં ફોર્મ ચકાસણીમા ફોર્મ રદ ન થાય તો નવા બિનહરીફ સરપંચ મળવાનુ ચિત્ર વરતાઈ રહ્યુ છે.
લજાઈ, જબલપુર અને ગજડી મા મુદ્ત પૂર્ણ થતી હોવાથી સામાન્ય ચુંટણી અને બાકીના 21 ગામડાઓમા સરપંચ અને સભ્યોની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચુંટણી યોજાવા આજે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્પષ્ટ થયેલા ચિત્ર પ્રમાણે માત્ર લજાઈ ગામે પાંચ દાવેદારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા અહીંયા સરપંચ પદની ચુંટણી યોજાશે જ્યારે 10 વોર્ડના સભ્યો માટે 9 વોર્ડ માંથી 11 ફોર્મ રજુ થયા છે એમા, ગામડે બેઠકોના દોર શરૂ થયા છે એ જોતા કદાચ પરત ખેંચવાના અંતિમ દિવસે તા. 11 મી એ 2 દાવેદાર ખસી જવાના એંધાણ વરતાઈ રહ્યા છે અને જો એ શક્ય બનશે તો અહીંયા સભ્યો બિનહરીફ જાહેર થાય અને માત્ર સરપંચ પદની ચુંટણી યોજાશે. જ્યારે ગજડી મા વાટાઘાટો સફળ નિવડે તો સભ્યો પણ બિનહરીફ જાહેર થાય તો ચુંટણી ટળે એવુ ચિત્ર હાલ જણાય રહ્યુ છે. તો, જબલપુરમા માત્ર એક ઉમેદવાર સરપંચ માટે મેદાનમાં ઉતાર્યા છે જે ચકાસણી અંતે બિનહરીફ જાહેર થશે અને સભ્યો ઉમેદવારી પરત ન ખેચે તો સભ્યોની ચુંટણી યોજાશે. જ્યારે, વિરવાવ, હરીપર અને લખધીરગઢ ગામે સરપંચની ખાલી પડેલી બેઠકની પેટા ચુંટણીમા એક એક ફોર્મ રજુ થતા અહીંયા ત્રણેય ગામડાને ફોર્મ ચકાસણીમા વિઘ્ન ન આવે તો નવા સરપંચ મળવાના ઉજળા સંજોગો હાલ દેખાઈ રહ્યા છે.
ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે 10 અને સભ્ય માટે 36 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ટંકારાના 24 ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર છે. જેમાં લજાઈ ગામે સરપંચ માટે 5 તો સભ્ય માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ગજડી ગામે સરપંચ માટે 1 તો સભ્ય માટે 8 ફોર્મ ભરાયા છે. જબલપુર ગામે સરપંચ માટે 1 અને સભ્ય માટે 14 ફોર્મ ભરાયા છે. હરિપર, લખધીરગઢ અને વિરવારમાં સરપંચ માટે એક-એક ફોર્મ ભરાયા છે. જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્ય માટે એક-એક ફોર્મ ભરાયા છે. બાકીના ગામોમાં કોઈ પણ ઉમેદવારે ચુંટણી મેદાનમાં ઉતારવાનું ટાળતા બેઠકો ખાલી રહશે.
આગામી 25 મી એ યોજાનારી રાજ્યની સ્થાનિક ગ્રામ પંચાયતો ની ચુંટણીના સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટંંકારા તાલુકાની 24 ગ્રામ પંચાયતની ચુંટણી માટે મોટાભાગના ગામડાઓએ સુસ્તતા દાખવી હોવાનુ ચિત્ર ઉપસ્યુ હતુ. 24 ગામડામાંથી માત્ર લજાઈ એક જ ગામે સરપંચ પદ માટે પાંચ ફોર્મ ભરાયા હતા જ્યારે, ભૂતકોટડા, અને સજનપર ગામે ગત ટર્મના સરપંચોએ રાજીનામા ધરી દીધા બાદ ફરી આવેલી પેટા ચુંટણીમાં એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ફરી ગ્રામ પંચાયત સેનાપતિ વગર સૈનિકો (સભ્યો) થી જ વહીવટ ચાલે એવુ દ્શ્ય ઉપસ્યુ છે. જ્યારે, લખધીરગઢ, હરિપર અને વિરવાવ ગામે ખાલી પડેલી સરપંચ પદની બેઠક માટે માત્ર એક એક ઉમેદવારના ફોર્મ આવતા અહીંયા પેટા ચુંટણીમાં ફોર્મ ચકાસણીમા ફોર્મ રદ ન થાય તો નવા બિનહરીફ સરપંચ મળવાનુ ચિત્ર વરતાઈ રહ્યુ છે.
લજાઈ, જબલપુર અને ગજડી મા મુદ્ત પૂર્ણ થતી હોવાથી સામાન્ય ચુંટણી અને બાકીના 21 ગામડાઓમા સરપંચ અને સભ્યોની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચુંટણી યોજાવા આજે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્પષ્ટ થયેલા ચિત્ર પ્રમાણે માત્ર લજાઈ ગામે પાંચ દાવેદારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા અહીંયા સરપંચ પદની ચુંટણી યોજાશે જ્યારે 10 વોર્ડના સભ્યો માટે 9 વોર્ડ માંથી 11 ફોર્મ રજુ થયા છે એમા, ગામડે બેઠકોના દોર શરૂ થયા છે એ જોતા કદાચ પરત ખેંચવાના અંતિમ દિવસે તા. 11 મી એ 2 દાવેદાર ખસી જવાના એંધાણ વરતાઈ રહ્યા છે અને જો એ શક્ય બનશે તો અહીંયા સભ્યો બિનહરીફ જાહેર થાય અને માત્ર સરપંચ પદની ચુંટણી યોજાશે. જ્યારે ગજડી મા વાટાઘાટો સફળ નિવડે તો સભ્યો પણ બિનહરીફ જાહેર થાય તો ચુંટણી ટળે એવુ ચિત્ર હાલ જણાય રહ્યુ છે. તો, જબલપુરમા માત્ર એક ઉમેદવાર સરપંચ માટે મેદાનમાં ઉતાર્યા છે જે ચકાસણી અંતે બિનહરીફ જાહેર થશે અને સભ્યો ઉમેદવારી પરત ન ખેચે તો સભ્યોની ચુંટણી યોજાશે. જ્યારે, વિરવાવ, હરીપર અને લખધીરગઢ ગામે સરપંચની ખાલી પડેલી બેઠકની પેટા ચુંટણીમા એક એક ફોર્મ રજુ થતા અહીંયા ત્રણેય ગામડાને ફોર્મ ચકાસણીમા વિઘ્ન ન આવે તો નવા સરપંચ મળવાના ઉજળા સંજોગો હાલ દેખાઈ રહ્યા છે.
ગામડામા પેટા ચુંટણી મા પણ નિરસતા વરતાઈ રહી છે
ભૂતકોટડા અને સજનપર ગામે સરપંચ ની ખાલી પડેલી બેઠક ની પેટા ચુંટણી મા એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ગ્રામપંચાયત ફરી સેનાપતિ વગરની જ રહેશે. જ્યારે, દેવળીયા, ધ્રોલીયા, ઘુનડા (ખા), હડમતીયા, જીવાપર, નાનારામપર, નસીતપર,ઓટાળા, રોહીશાળા, ઉમીયાનગર, વિરપર, વાછકપર અને નાના ખિજડીયા સહિતના ગામે સભ્યની ખાલી પડેલી બેઠક પર આવેલી પેટા ચુંટણીમાં ગામડામાથી કોઈ એ ઉમેદવારી ન કરતા અહીંયા આ બેઠકો ખાલી રહેશે. આમ, 24 ગામડાની સ્થાનિક ચુંટણી મા એકેય ગામડે ઉડીને આંખે વળગે એવો ઉમળકો દેખાડ્યો ન હોવાના ચિત્ર ઉપરથી ગામડાના લોકો નિરસ રહ્યા હોય એવુ દ્શ્ય ઉપસ્યુ છે.
ગામડામા પેટા ચુંટણી મા પણ નિરસતા વરતાઈ રહી છે.
ભૂતકોટડા અને સજનપર ગામે સરપંચ ની ખાલી પડેલી બેઠક ની પેટા ચુંટણી મા એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ગ્રામપંચાયત ફરી સેનાપતિ વગરની જ રહેશે. જ્યારે, દેવળીયા, ધ્રોલીયા, ઘુનડા (ખા), હડમતીયા, જીવાપર, નાનારામપર, નસીતપર,ઓટાળા, રોહીશાળા, ઉમીયાનગર, વિરપર, વાછકપર અને નાના ખિજડીયા સહિતના ગામે સભ્યની ખાલી પડેલી બેઠક પર આવેલી પેટા ચુંટણીમાં ગામડામાથી કોઈ એ ઉમેદવારી ન કરતા અહીંયા આ બેઠકો ખાલી રહેશે. આમ, 24 ગામડાની સ્થાનિક ચુંટણી મા એકેય ગામડે ઉડીને આંખે વળગે એવો ઉમળકો દેખાડ્યો ન હોવાના ચિત્ર ઉપરથી ગામડાના લોકો નિરસ રહ્યા હોય એવુ દ્શ્ય ઉપસ્યુ છે.