Saturday, June 14, 2025
HomeGujaratમોરબીમાં વર્ષ 2018માં ટ્રિપલ મર્ડર ના ગુનામાં 11 આરોપીઓને આજીવન કેદની સજા...

મોરબીમાં વર્ષ 2018માં ટ્રિપલ મર્ડર ના ગુનામાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ

મોરબીમાં વર્ષ 2018માં જમીન મામલે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ત્રણ વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી હતી અને આ ગુનામાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 11 આરોપીઓને કોર્ટ દ્વારા આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ વર્ષ 2018 માં વજેપર વિસ્તારની જમીન સર્વે નંબર 1086 મામલે તકરાર ચાલતી હતી જે તકરારમાં 12 જેટલા શખ્સોએ તલવાર ધોકા જેવા હથિયારો વડે ત્રણ વ્યક્તિ દિલાવર પઠાણ,અફઝલ પઠાણ અને મોમીન પઠાણ પર હુમલો કરી આડેધડ માર મારી હત્યા કરી નાખી હતી.જે ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં 12 આરોપીઓ ભરત ડાભી,જયંતી નારણભાઇ,અશ્વિન જીવરાજભાઈ,ભરત જીવરાજભાઈ,ધનજી મનસુખભાઇ,કાનજી મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ,જીવરાજ રામજીભાઈ,પ્રવિણ શીવાભાઈ,કિશોર શિવાભાઈ,સંજય નારણભાઇ ને ઝડપી પાડી પોલીસે જ્યુડિશિલ કસ્ટડી માં મોકલ્યા હતા ત્યારે જ્યુડિસિલ કસ્ટડી દરમિયાન 1 આરોપી શીવાભાઈ રામજીભાઈ નું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 11 આરોપીઓ હાલ પણ મોરબી સબજેલમાં બંધ છે.જે કેસ આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં ચાલી જતા મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!