Monday, October 28, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાં રહેણાંકમાંથી બિયરના ૧૬૮ ટીન ઝડપાયા,આરોપી ફરાર 

મોરબીના વીસીપરામાં રહેણાંકમાંથી બિયરના ૧૬૮ ટીન ઝડપાયા,આરોપી ફરાર 

મોરબીના વીસીપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડતા બિયરના ૧૬૮ ટીન મળી આવ્યા હતા, આ સાથે મકાન માલીક આરોપી દરોડા દરમિયાન હાજર નહીં મળતા તેને ફરાર દર્શાવ્યો હતો. હાલ પોલીસે બિયરનો જથ્થો કબ્જે લઈ ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે વીસીપરા બિલાલી મસ્જિદ પાસે રહેતા સુનિલ સોલંકી નામના શખ્સને રહેણાંક મકાનમાં રેઇડ કરતા ઘરમાંથી કિંગફિશર સ્ટ્રોંગના ૧૬૮ બિયર ટીન કિ.રૂ.૨૧ હજાર મળી આવ્યા હતા, દરોડા દરમિયાન આરોપી સુનિલભાઈ સવજીભાઈ સોલંકી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!