Friday, June 6, 2025
HomeGujaratમોરબી જલારામ ધામ ખાતે ૨૧૦ દર્દીઓએ વિનામૂલ્યે આયોજિત નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પમાં લાભ...

મોરબી જલારામ ધામ ખાતે ૨૧૦ દર્દીઓએ વિનામૂલ્યે આયોજિત નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પમાં લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે દલીચંદભાઈ જેરામભાઈ પુજારા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૧૦ દર્દીઓએ લાભ લીધો હતો. અત્યાર સુધીના ૪૫ કેમ્પમાં કુલ ૧૩,૧૧૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાત એક નંબરની આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે રોજ મોરબીના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે યોજવામાં આવે છે. જે અંતર્ગત તા.૪-૬-૨૦૨૫ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા ૨૧૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૯૫ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારી કવોલિટી વાળું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. આ કેમ્પ દલીચંદભાઈ જેરામભાઈ પુજારા પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો ય હતો. અહી ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૪૪ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૨,૮૯૮ લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ ૫૮૮૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યાં છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૧૦ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૯૫ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ,નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની,જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી ૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ ૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા ૯૮૭૯૨૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ સંસ્થાના નિર્મિત કક્કડ, પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ, મંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!