Sunday, June 22, 2025
HomeGujaratટંકારાના ધ્રુવનગર નજીક ઘેટા-બકરાના ટોળા પર ટ્રક ફરી વળતા ૨૨ ના કરૂણ...

ટંકારાના ધ્રુવનગર નજીક ઘેટા-બકરાના ટોળા પર ટ્રક ફરી વળતા ૨૨ ના કરૂણ મોત;૨૪ ઘાયલ:ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના ધ્રુવનગર નજીક સવારે પશુપાલક પોતાના ઘેટા-બકરા ચરાવવા ગયા ત્યારે રાજકોટ તરફથી એક પૂરઝડપે આવતી ટ્રકે ઘેટાં-બકરાના ટોળા ઉપર ટ્રક ચડાવી દેતા ૨૨ ઘેટાં-બકરાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ૨૪ને ઈજા પહોચાડી હતી. આ ઘટનામાં પશુપાલકને રૂપિયા ૬૦,૦૦૦થી વધુનું નુકસાન થયું હોવાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ધ્રુવનગરમાં રહેતા સામંતભાઈ જીવણભાઈ ઝાપડા ઉવ.૪૩ એ ટંકારા પોલીસ મથકમાં ટ્રક રજીસ્ટર નં. જીજે-૦૩-બીવાય-૭૧૬૭ ના આરોપી ચાલક રૂપલાલ શ્રીહુલાસ સાઓ રહે. ઝારખંડ વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગઈકાલ તા.૨૧/૦૬ના રોજ સવારે તેઓ આશરે ૧૦૦ જેટલા ઘેટા-બકરા ચરાવવા ગામની સીમમાં લઇ જતા હતા. તે દરમિયાન રાજકોટ તરફથી આવેલ ટ્રકના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા, ટ્રક ઉપર સંતુલન ન રહેતા, ટ્રક ઘેટા-બકરાના ટોળા પર ચઢી ગયો હતો. આ અકસ્માતમાં ૨૧ ઘેટા અને ૧ બકરી સ્થળ પર જ મોતને ભેટ્યા હતા, જ્યારે ૨૪ ઘેટા-બકરાને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઘાયલ પશુઓને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, આ સમગ્ર ઘટનાથી સામંતભાઈને આશરે રૂ.૬૦,૦૦૦થી રૂ.૬૫,૦૦૦નું આર્થિક નુકસાન થયું છે. હાલ ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!