Friday, October 18, 2024
HomeGujaratપ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ : દીકરીના પરિવારજનોએ જમાઈ સહીત ત્રણ શખ્સો પર...

પ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ : દીકરીના પરિવારજનોએ જમાઈ સહીત ત્રણ શખ્સો પર કર્યો પ્રાણઘાતક હુમલો

વાંકાનેરમાં વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે. જેમાં કુટુંબીક દીકરીએ ભાગીને લગ્ન કરતા રોષે ભરાયેલ પરિવારજનોએ દીકરીના પ્રેમી પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો અને તેની સાથે રહેલ અન્ય બે યુવકો પર પણ ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે સમગ્ર મામલે 8 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરનાં હશનપર ખાતે રહેતા ભરતભાઇ સતાભાઇ મુંધવા નામના યુવકે પરબતભાઇની કુટુંબની દીકરી સાથે ત્રણ વર્ષ પહેલા લવ મેરેજ કરેલ હોય જેનો ખાર રાખી પરબતભાઇ નાજાભાઇ, મશરૂભાઇ નજાભાઇ, વીશાલભાઇ પરબતભાઇ, વિક્રમભાઇ પરબતભાઇ, બધાભાઇ હીન્દુભાઇ, છગનભાઇ નાજાભાઇનો મોટો છોકરો (રહે. નં ૧ થી ૬ હસનપર તા.વાંકાનેર) તથા બે અજાણ્યા માણસો જેના નામ સરનામુ ખબર નથી જે આરોપીઓએ ફરીને તથા સાહેદને ધારીયુ છરી તથા લોખડના પાઇપ વતી આડેધડ ધા મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી યુવકને તથા સાહેદ રોહીતને માથાના ભાગે પ્રાણ ધાતક હથીયાર વડે માર મારતા બંનેને માથામા ૧૫-૨૦ ટાકા આવેલ તેમજ હાથે પગે ફેકચર કરી તેમજ સાહેદ ઉતમસિંહને પેટના ભાગે ઇજા કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!