Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક તળાવમાં ડૂબી જતા અજાણ્યા શખ્સનું મોત

મોરબીના રફાળેશ્વર નજીક તળાવમાં ડૂબી જતા અજાણ્યા શખ્સનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ નજીક ડમ્પિંગયાર્ડની સામે આવેલ તળાવના પાણીમાં ડૂબેલા અજાણ્યા શખ્સનું મોત નીપજ્યું હતું. મોરબી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે કલાકોની જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને શોધી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં સવારના ૧૦.૨૦ કલાકે કોલ આવેલ કે રફાળેશ્વર ખાતે ડમ્પિંગ યાર્ડની સામે આવેલ તળાવના પાણીમાં કોઈ અજાણ્યો શખ્સ ડૂબ્યો છે. જે મુજબનો કોલ આવતા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં અંદાજે સાત કલાકની જહેમત બાદ તળાવના પાણીમાં ડૂબેલ શખ્સનો મૃતદેહ શોધી તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ આ મૃતદેહ તળાવની આજુબાજુના કારખાનામાં કામ કરતા અજાણ્યો વ્યક્તિ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ અજાણ્યા શખ્સના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!