Saturday, September 28, 2024
HomeGujaratશ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબી ખાતે "આવ્યો માં નો...

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબી ખાતે “આવ્યો માં નો રૂડો અવસર” કાર્યક્રમ યોજાશે

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા આવ્યો માં નો રૂડો અવસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૯/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર મનસુખ ભાઈ વસોયા અને વક્તા અને લેખત શૈલેષભાઈ સગપરિયાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…..

- Advertisement -
- Advertisement -

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા આવ્યો માં નો રૂડો અવસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા ઉમા સંસ્કારધામ લજાઈ (સમાજવાડી)માં એક સાથે બે પ્રસંગ થઈ શકે તેવા બે લગ્ન હોલ, ૨૪ રૂમનું “ઉંમા અતિથિગૃહ’ ઉમા રંગ ભવન તથા ઉમા આદર્શ લગ્ન હોલનું આયોજન સાથે શ્રી ઉમિયા માતાજીનું મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી મોરબીના સમાજની વર્ષો જૂની જરૂરિયાત પૂર્ણ કરવા માટેનું સ્વપ્ન પૂર્ણ કરેલ છે. જે મંદિરમાં તા. ૧૩-૧૧-૨૦૨૪ થી ૧૫-૧૧-૨૦૨૪ સુધી દિવસ-3 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન “ઉમાં સંસ્કારધામ” લજાઇ ખાતે આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તા. ૨૯/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર મનસુખ ભાઈ વસોયા અને વક્તા અને લેખત શૈલેષભાઈ સગપરિયાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ બેચરભાઈ હોથી મોબાઇલ નં. ૯૮૨૫૨ ૧૦૩૦૦, ઉપપ્રમુખ ત્રંબકભાઈ એસ ફેફર મોબાઇલ નં. ૯૮૨૫૦ ૫૨૭૧૮, ચેરમેન ઉમા સંસ્કારધામ એ કે પટેલ મોબાઇલ નં. ૯૦૯૯૦ ૧૮૨૧૮ તથા તમામ ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં સમાજના આર્ય પુરુષો, સમાજના શ્રેષ્ઠીઓ, ઉમા સંસ્કાર ધામ મોરબીના ભામાશાઓ, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજના સુધારકો, ઉધોગપતિઓ, અલગ અલગ સંસ્થાના હોદેદારો તેમજ વિવિધ સંસ્થાના દાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ હાલમાં અમદાવાદ-ગાંધીનગર શિક્ષણનું હબ બની રહ્યું છે. ત્યારે સમાજની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદમાં રહી શકે એ હેતુ માટે મોરબી જિલ્લાની દીકરીઓ માટે ૩૬-રૂમનું “ઉમા વિદ્યાર્થી ભવન” ની ખરીદી કરી આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!