કામ ધંધો ન કરી,ખોટા રવાડે ચડી ચુકેલ ૧૯ વર્ષીય યુવકે જીંદગીનો અંત આણ્યો
મળતી માહિતી મુજબ વાંકાનેરના રોયલ પાર્ક શેરી નં.૩ માં રહેતા ક્રિશ દીપકભાઈ જાદવ ઉવ.૧૯ એ ગત તા.૨૬/૦૧ના રોજ અમરસર બસ સ્ટેન્ડ પાસે એસિડ પી લીધું હોય જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યો હોય જ્યાં સારવાર કારગત ન નિવડતા ક્રિશભાઈનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય, ત્યારે પોલીસ તપાસમાં મૃતકના પિતા પાસેથી મળેલ વિગતો મુજબ ક્રિશ કોઈ કામ ધંધો ન કરતો હોય તેમજ ખોટા રવાડે ચડી ગયો હોય, સમયસર ઘરે ન આવતો હોય ત્યારે પિતા દીપકભાઈ દ્વારા આપેલ ઠપકા અંગે મૃતક ક્રિશને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હોય. હાલ વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.