Thursday, May 22, 2025
HomeGujaratહળવદના દિધડીયા ગામે બ્રાહ્મણી નદીમાં નાહવા ગયેલા પ્રૌઢનું પાણીમાં ડુબવાથી મોત.

હળવદના દિધડીયા ગામે બ્રાહ્મણી નદીમાં નાહવા ગયેલા પ્રૌઢનું પાણીમાં ડુબવાથી મોત.

હળવદ તાલુકાના દિધડીયા ગામે આવેલ બ્રાહ્મણી નદીમાં નાહવા ગયેલા ૫૦ વર્ષીય પ્રૌઢ દુર્ઘટનાવશ પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના દિધડીયા ગામે બ્રાહ્મણી નદીમાં ગઈકાલ તા.૨૦/૦૫ ના રોજ સાંજના સમયે દિઘડીયા ગામના રહીશ હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા ઉવ.૫૦ નદીમાં નાહવા ગયા હતા. કોઈ અનિચ્છનિય પરિસ્થિતિના કારણે તેઓ નદીના પાણીમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થયું. આ અંગે મરણજનારના ભાઈ વાલજીભાઈ સોમાભાઈ ગડેસાએ હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!