Sunday, May 25, 2025
HomeGujaratમોરબી સિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં સુતેલા શ્રમિકનું અકળ કારણોસર મોત

મોરબી સિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં સુતેલા શ્રમિકનું અકળ કારણોસર મોત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી ઇટાલેક સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૫૬ વર્ષીય શ્રમિક સુતા હોય જે બાદ ઉઠ્યા નહિ ત્યારે પરિવારજનો દ્વારા ચેક કરતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તાલુકા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી ઇટાલેક સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક ગોપાલ મનો ઉર્ફે કરન મરંદી ઉવ.૫૬ મૂળ ઓડિશાના મયુરભંજ જીલ્લાના બાગાબંદી ગામના વતની હતાં. તેઓ મજૂરી કામ માટે મોરબીમાં આવી કારખાનામાં કામ કરતા હતા. તા. ૨૩ મે ૨૦૨૫ના કોઈક સમયે તેઓ લેબર ક્વાર્ટરમાં સૂઇ ગયા હતા. તેમની સાથે રહેલા પરિવારજનો અને સાથી શ્રમિકોએ જોયું ત્યારે તેઓ ઉઠ્યા ન હતા. જેથી ચેક કરતા ગોપાલભાઈનું કોઈ કારણોસર મરણ થયું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની તુરશી ગોપાલ મરંદી સહિતના પરિવારજનોએ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!