મોરબી જિલ્લાના માળીયામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ) ખોલવા માટેની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સરકારનાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ દ્વારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગને અગ્રતાક્રમ સાથે ભંડાર ખોલવાના થતાં હોવાથી અગ્રતાક્રમ અને શરતો મુજબ વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે નિયત નમૂનાની અરજીઓ મંગાવવામાં આવી છે.
સરકારનાં અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગનાં સંકલિત ઠરાવ દ્વારા તા.૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇઓ પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના માળીયા-૪ ગામ/વિસ્તારમાં સા.શૈ.પછાત વર્ગને અગ્રતાક્રમ સાથે નવા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) ખોલવાની થાય છે. જે અંતર્ગત ઠરાવમાં દર્શાવેલ અગ્રતાક્રમ અને શરતો મુજબ વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. જે નિયત નમુનામાં કોરા અરજીપત્રકો (અગ્રતાક્રમ તથા બોલીઓ અને શરતો) જે તે તાલુકા મામલતદાર કચેરીથી રૂબરૂમાં વિનામુલ્યે કામકાજના કલાકો દરમિયાન તા.૧૪/૦૬/૨૦૨૫ સુધીમાં તેમજ સરકારના https://ipds.gujarat.gov.in/iLMS પોર્ટલ પરથી મેળવી લેવાના રહેશે. જે અરજદારે વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવમાં નિયત થયેલ નમુનામાં અરજી પત્રકો સંપુર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરી તે જ કચેરીમાં તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં પહોંચાડવાના તેમજ ઓનલાઇન ભરી આપવાના રહેશે. અરજીપત્રક ઉપર રૂ.૧૦૦/- ની કિંમતનો નોન-જ્યુડીશ્યલ એધેસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. જે મુદત બહાર તેમજ અધુરી વિગતે રજુ થયેલ અરજી પત્રકો રદબાતલ કરાશે. આ જાહેરાતથી જે દુકાનો માટે અરજી આવશે તેની વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા પુરવઠા કચેરી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે