હળવદના કડીયાણા ગામ પાસે આવેલ વોકળામાં ન્હાવા માટે પડેલા બે બાળકોના ડૂબી જતા મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે.હાલ બંને બાળકોના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
મોરબીના હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે આવેલ વોંકળામાં બે પિતરાઈ ભાઈઓ ન્હાવા પડ્યા હતા જે બે બાળકો પ્રિન્સ મુકેશ રાતડીયા(ઉમર ૯ વર્ષ)અને આદીત્ય મુનાભાઈ રાતડીયા(ઉમર ૧૫ વર્ષ)નું ડૂબી જતા મોત થયું છે. બંનેના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.હાલ બનાવના પગલે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે ત્યારે બીજી તરફ પોલીસે પણ તપાસ હાથ ધરી છે