Saturday, June 7, 2025
HomeGujaratશ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે આવતીકાલે સોડષી ભંડારો અને ચાદરવિધિ યોજાશે

શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે આવતીકાલે સોડષી ભંડારો અને ચાદરવિધિ યોજાશે

હળવદ તાલુકાના ચરાડવા ખાતે શ્રી મહાકાળી માતાજીના ઉપાસક અનંત વિભુસીત શ્રીશ્રી ૧૦૦૮ બ્રહ્મલીન ગુરૂદેવશ્રી દયાનંદગીરી બાપુ ગુરૂશ્રી બ્રહ્મગીરીજી મહારાજ સંવત ૨૦૮૧, વૈશાખ વદ, ભદ્રકાળી એકાદશી, તાઃ ૨૩-૫-૨૦૨પ, શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા છે. જેમનો સોડષી ભંડારો સંવત ર૦૮૧, જેઠસુદ ભીમ અગીયારસ તાઃ ૭-૬-૨૦૨૫, શનીવારના રોજ ચરાડવા ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં સંતવાણી કાર્યક્રમ તેમજ સમાધિ પૂજન, ચાદર વિધિ અને સંતોનાં આશીર્વચન સહિતના પાવન પ્રસંગો ઉજવાશે જેમ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ખાતે શ્રી મહાકાળી માતાજીના ઉપાસક અનંત વિભુસીત શ્રીશ્રી ૧૦૦૮ બ્રહ્મલીન ગુરૂદેવશ્રી દયાનંદગીરી બાપુ ગુરૂશ્રી બ્રહ્મગીરીજી મહારાજ સંવત ૨૦૮૧, વૈશાખ વદ, ભદ્રકાળી એકાદશી, તાઃ ૨૩-૫-૨૦૨પ, શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા છે. જેમનો સોડષી ભંડારો સંવત ર૦૮૧, જેઠસુદ ભીમ અગીયારસ તાઃ ૭-૬-૨૦૨૫, શનીવાર નારોજ ચરાડવા ખાતે રાખવામાં આવ્યો છે. બ્રહ્મલીન શ્રી દયાનંદગીરી બાપુના ઉતરાધીકારી મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદરવીધી રાખેલ છે. જેમા શ્રધ્ધા અને ભકિત ભાવથી સાધુસંતો સિધ્ધ મહાત્માઓ, યોગીઓ, જોગીઓ, સિધ્ધ ચોરાસી પધારશે. જેમાં સમાધિ પૂજન ૭/૬/૨૫ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ વાગ્યે, ચાદર વિધિ સવારે ૯ વાગ્યે અને સંતોના આશીર્વચન સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવ્યા છે. તેમજ મહાપ્રસાદ શનિવારે બપોરે ૧૨ વાગ્યે રાખવામાં આવ્યો છે. તેમજ સંતવાણી કાર્યક્રમ તા. ૬/૬/૨૫ ને શુક્રવારના રોજ રાત્રે ૧૦ વાગ્યે જેમાં અરવિંદ ભારથી, ભનુ ભાઈ ઓડેદરા, અને મિલનભાઈ પટેલ તેમજ ૭/૬/૨૫ ને શનિવારે રાત્રે ૧૦ વાગ્યે ભગવતીબેન ગોસ્વામી અને નૈતિક વ્યાસ સંતવાણી કરશે. જેમના દર્શન તથા ભંડારાનો લાભલેવા સૌ ભાવિ ભકતોને મહંત શ્રી અમરગીરી બાપુ ( શ્રી મહાકાળી આશ્રમ ) બ્રહ્મલીન ગુરુવર્યશ્રી દયાનંદ ગીરીજી મહારાજ મોબાઇલ નં. ૯૪૨૯૬ ૫૦૫૧૫ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!