મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ગેસ કંપની દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષા રોપણ કરાયું હતું. જેમાં શાળાના શિક્ષકો, બાળકો તેમજ વાલીઓએ વૃક્ષા રોપણ કર્યું હતું. જેમાં કરંજ, સવન, પીપળો, વાંસ, ચંપો આસોપાલવ વગેરે જેવા પંદર વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા કંઈક ને કંઈક અલગ વિધાર્થી તેમજ સમાજલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. ત્યારે દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણને કારણે વૃક્ષોનું છેદન દિન પ્રતિદિન વધતું જાય છે. સોસાયટીમાં ઘરની સામે ઉભેલા ઘટાદાર વૃક્ષોમાંથી પાનખરમાં ઝાડમાંથી પાંદડા ખરતા હોય કહેવાતા ભણેલા ગણેલા લોકોને ઝાડ ગમતા ન હોય આડેધડ ઝાડ કાપી નાખે છે. કારખાના, મકાનો, રોડ રસ્તા બનાવવામાં વૃક્ષોનું ભયંકર રીતે છેદન થઈ રહ્યું છે. અને સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો બની ગયા છે. ત્યારે પર્યાવરણ જાળવણી માટે અહીની પીએમશ્રી માધાપરવાડી ખાતે ગુજરાત ગેસ કંપનીના મોરબી સર્કલ હેડ ડો. કમલેશ કંટારીયા, નરેન્દ્ર બારહટ, ગૌરાંગ વોરા, ધવલ વ્યાસ, દીપ ધ્રાફાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં કરંજ, સવન, પીપળો, વાંસ, ચંપો આસોપાલવ વગેરે જેવા પંદર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વૃક્ષા રોપણ કરવામાં શિક્ષકો અશ્વિનભાઈ ક્લોલા, અરવિંદભાઈ કૈલા તેમજ બાળકોના વાલી મનસુખભાઈ, પ્રભુભાઈ વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. જે સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું