Thursday, June 19, 2025
HomeGujaratમોરબીની લીલાપર ચોકડી નજીક યુવકની કરપીણ હત્યા:ગત પરમદિવસે થયેલ માથાકૂટ કારણભૂત હોવાની...

મોરબીની લીલાપર ચોકડી નજીક યુવકની કરપીણ હત્યા:ગત પરમદિવસે થયેલ માથાકૂટ કારણભૂત હોવાની શક્યતા

મોરબીની લીલાપર ચોકડી નજીક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે તેમજ આ હત્યા ગત તા.૧૬ ના રોજ થયેલ માથાકૂટનો ખાર રાખી થઈ હોવાની આશંકાને આધારે મોરબી એલસીબી ,તાલુકા પોલીસ એ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના લીલાપર ચોકડી નજીક ગિરિશ કંઝારિયા નામના ૨૨ વર્ષીય યુવકની હત્યા કરાઇ હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે મૃતક યુવક ગિરિશ અને રવિ નામના ઇસમો હિરલબેન કંઝારીયાના ઘર પાસે ગાળો બોલતા જેને લઇ તેઓને ગાળો બોલવાની મનાઈ કરતા બન્ને એ કારમાં તોડફોડ કરી મારામારી કરી હોવાની બન્ને વિરુદ્ધ ગઈકાલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે આજ રોજ આ કેસમાં આરોપી ગીરિશ નારણભાઇ કંઝારીયાની હત્યા નિપજાવવામાં આવી છે.જેને લઈને મોરબી એલ.સી.બી,મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!