Thursday, June 19, 2025
HomeGujaratમોરબીના રંગપર ગામે કારખાનામાં ૧૪ વર્ષીય બાળકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું.

મોરબીના રંગપર ગામે કારખાનામાં ૧૪ વર્ષીય બાળકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું.

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક વાઇડ એન્ગલ સેનેટરી વેરમાં વીજશોક લાગતાં ૧૪વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ વાઇડ એન્ગલ સેનેટરી વેર કારખાનામાં રહેતા અરવિંદભાઈ સંતોષભાઈ સિસોદિયા ઉવ.૧૪ નામના બાળકને ગઈ તા.૧૮ જૂનના રોજ સાંજના સમયે શોક લાગતાં અરવિંદને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!