Saturday, July 12, 2025
HomeGujaratમુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અનોખો સેવાયજ્ઞ :ગુરુ પૂર્ણિમા નિમિતે જરૂરતમંદ લોકોને ભોજન...

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અનોખો સેવાયજ્ઞ :ગુરુ પૂર્ણિમા નિમિતે જરૂરતમંદ લોકોને ભોજન કરાવ્યું

અષાઢ માસની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ગુરુ ભક્તિ,આત્મચિંતન અને જ્ઞાન સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારે આ શુભ દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા અનોખો સેવાયજ્ઞ કરી જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા જમાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે ? કોને ખાવાનું મન ન થાય ? પણ બધાએ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન જ ઘડી કાઢવામાં આવ્યુ હતુ. આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા. આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!