મોરબી જીલ્લાનો નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ અતિ જર્જરીત હાલતમાં હોવાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કાર્યપાલક ઇજનેરને આવેદન પાઠવામાં આવ્યું છે. તેમજ આ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માંગ કરવામાં આવ્યું છે.
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ નો ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકોની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને ઘણી વાર લોકોને ગંભીર ઈજાઓથી માંડીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માટે માંગણી કરી છે અને જો સમયસર આનું નિરાકરણ ન આવે તો બધા ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવશે એવી માંગણી કરી હતી.