Thursday, September 11, 2025
HomeGujaratમાતાના મઢ જતા પદયાત્રીઓ માટે શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા ટંકારા ખાતે...

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા ટંકારા ખાતે સેવા કેમ્પ યોજાશે

નવરાત્રીમાં માતાના મઢ મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન અર્થે જતા હોય ત્યારે ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

નવરાત્રી નજીક આવતાની સાથે જ કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર માતાના મઢ ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાના મઢ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું ટંકારામાં કષ્ટભંજન હનુમાનજી મંદિર શિવમ કોમ્પ્લેક્સ બાજુમાં ઓવરબ્રિજ નીચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે રહેવા-જમવા-મેડિકલ-ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. માતાના મઢ જતા સર્વે ભાવિકોને આ કેમ્પનો લાભ લેવા શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે દિગુભા -97124 08412 તથા જામભા : 9714285097, 9662008412 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!