મોરબીના શનાળા રોડ વિસ્તારના ઉમિયાનગર-૨ સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. હાલ શહેર પોલીસે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધની પ્રાપ્ત વિગત મુજબ, વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉવ.૨૫ રહે.મોરબી શનાળા રોડ ઉમિયાનગર-૨ સોસાયટી રામેશ્વર મહાદેવ સામેની શેરી વાળાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મવિલોપ કરી લેતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારજનો મૃતકનો મૃતદેહ સરકારી હોસ્પિટલ લાવતા, સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









