Thursday, January 1, 2026
HomeGujaratમોરબીમાં શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન

મોરબી: ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ભરપૂર એવા ‘શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર શ્રી રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુ બાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા)ના શ્રીમુખે સંભળાવવામાં આવશે. આ શિવ કથા તા.4 જાન્યુઆરીને રવિવારથી 12 જાન્યુઆરી સોમવાર સુધી યોજાશે. દરરોજ સવારે 9 થી બપોરે 12:30 કલાક દરમિયાન કથાનો લાભ ભક્તજનો લઈ શકશે. કથાસ્થળ તરીકે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, સત્સંગ હોલ, વેજીટેબલ રોડ, ઉમા ટાઉનશીપ સામે, સામાકાંઠે, મોરબી-2 પસંદ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

કથાપૂર્વે તા.3 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 3 કલાકે નિવાસસ્થાનથી કથાસ્થળ સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવશે. કથા પ્રારંભ તા. 4 જાન્યુઆરી રવિવારે થશે. દરમિયાન તા.8 જાન્યુઆરીના ગુરુવારે રાત્રે 8 થી 12 કલાકે અરુણોદય નગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે, જ્યારે તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. શિવકથાના અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે, જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!