Thursday, January 1, 2026
HomeGujaratમોરબી: સિરામીક એકમો માટે નેચરલ ગેસના ભાવમાં રૂ.૪.૫૦નો ઘટાડો

મોરબી: સિરામીક એકમો માટે નેચરલ ગેસના ભાવમાં રૂ.૪.૫૦નો ઘટાડો

મોરબી: રાજ્ય સરકારના અગત્યના નિર્ણય હેઠળ મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે, જે સિરામિક ઉદ્યોગ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળ મોરબી તેમજ સુરેન્દ્રનગર-થાનગઢ વિસ્તારના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ.૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ ભાવ ઘટાડો તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના તમામ સંબંધિત સિરામીક એકમોને સત્તાવાર રીતે જાણ પણ કરવામાં આવી છે.

નેચરલ ગેસના ભાવમાં થયેલો આ ઘટાડો મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સંજીવની સમાન માનવામાં આવી રહ્યો છે. ગેસના ખર્ચમાં ઘટાડો થતાં ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે, જેના કારણે ઉદ્યોગોની સ્પર્ધાત્મક શક્તિ વધશે. આ નિર્ણયથી હજારો ઉદ્યોગકારો તેમજ તેમાં કાર્યરત કામદારોને નવી ઊર્જા અને આત્મવિશ્વાસ મળશે. મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને વધુ મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે લેવાયેલો આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર તથા ઊર્જા વિભાગનો રાજ્યમંત્રી કાતિલાલ અમૃતિયા તથા સીરામીક ઉદ્યોગકારોએ આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા છે. આ નિર્ણયને સિરામિક ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!