Tuesday, January 13, 2026
HomeGujaratમોરબી ટ્રાફિક શાખા દ્વારા ટુ-વ્હીલરોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

મોરબી ટ્રાફિક શાખા દ્વારા ટુ-વ્હીલરોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

મોરબી: મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગના દોરાથી થતા અકસ્માત અટકાવવા મોરબી ટ્રાફિક પોલીસે પહેલ કરી છે. જેમાં ટુ-વ્હીલરોમાં સેફ્ટી ગાર્ડ લગાવી વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અન્વયે તથા મકરસંક્રાંતિના તહેવારોને ધ્યાનમાં રાખી મોરબી ટ્રાફિક શાખા દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પતંગના દોરાથી ટુ-વ્હીલર ચાલકોના ગળામાં ગંભીર ઇજા ન થાય તે માટે શહેરના અલગ અલગ પોઇન્ટ પર ટુ-વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોરબી ટ્રાફિક શાખા પીઆઇ સહિતની ટીમ દ્વારા વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સલામતીના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!