માળીયા(મી)ના ભાવપર ગામે નાનાજીને ઘરે રાજકોટની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, ત્યારે દુઃખદ બનાવને પગલે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક નીકીતાબેન કનુભાઇ સાથલપરા ઉવ.૧૭ રહે.હાલ ભાવપર તા.માળીયા(મી) મુળરહે. રાજકોટ મનહરપરા શેરી નં.૧ વાળીએ ગઈ તા.૦૬/૦૬ ના રોજ પોતાના નાનાજી છગનભાઇ મમુભાઇ રીણીયાના ઘરે પોતે પોતાની જાતેથી રૂમમાં સીલીંગ પંખા સાથે ચુંદડી બાંધી કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જતા તેણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી નિકિતાબેનને મરણ ગયેલનુ જાહેર કરેલ, ત્યારે હાલ માળીયા(મી) પોલીસે અ. મોત રજીસ્ટર કરી તપાસની તજબીજ શરૂ કરી છે