માળીયા(મી)માં ૨૨ વર્ષીય હોય તે દરમિયાન પરિણીતાએ પોતાના પિયરે હોય તે દરમિયાન કોઈ અકળ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.
માળીયા(મી)માં માલાણી શેરી વિસ્તારમાં રહેતા મુસ્કાનબેન અસ્વાદભાઇ જામ ઉવ.૨૨ અને હાલ માળીયા(મી) એસ.બી.આઈ. બેંક સામે તેમના પિતા હાજીભાઈના ઘરે હોય ત્યારે ગઈકાલ તા.૨૪ જૂનના રોજ કોઈ કારણસર પોતાના પિયરે હાજીભાઇના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મુસ્કાનબેનનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેમના પિતા માળીયા(મી) સીએચસીએ લાવતા હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પિતા દ્વારા માહિતી આપતા જણાવ્યું કે મૃતક મુસ્કાનબેનના લગ્ન ૧૪ માસ પૂર્વે થયા હોય. હાલ માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.