ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા નવનીતભાઈ સવજીભાઈ સાલાણી ગઈ તા.૧૩/૦૬ ના રોજ પોતાના ઘરે હોય તે દરમિયાન રાત્રીના ૧૧:૪૫ વાગ્યાની આસપાસ નવનીતભાઈને છાતીમાં દુખાવો ઉપડતા, પરિવારજનો તેમને ખાનગી વાહનમાં ટંકારાની ચીખલીયા હોસ્પિટલમાં સારવાર માટે લાવતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટસલમાં રીફર કરવામાં આવ્યા હતા, જેથી ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન નવનીતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરતા, પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.