Friday, October 4, 2024
HomeGujaratમોરબી શહેરના કુબેરનગરમાં ૩૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ અમૂલ્ય જિંદગીનો અંત આણ્યો 

મોરબી શહેરના કુબેરનગરમાં ૩૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ અમૂલ્ય જિંદગીનો અંત આણ્યો 

મોરબી શહેરના કુબેરનગરમાં આવેલ ત્રિલોકધામ મંદિરવાળી શેરીમાં રહેતા ૩૬ વર્ષીય યુવકે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના કુબેરનગર વિસ્તારમાં ત્રિલોકધામ મંદિર વાળી શેરીમાં રહેતા જયેશભાઇ અશોકભાઇ કાચરાણી ઉવ.૩૬એ પોતાના ઘરે પોતાની જાતે મકાનના ઉપરના માળે આવેલ ઓસરીમા છતના ભાગે લગાવેલ હુક સાથે દોરી વડે ગળે ફાંસો ખાઇ જતા મૃતકના પિતા અશોકભાઇ લીલાધરભાઇ કાચરાણી દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા, જ્યાં હાજર ડોક્ટરે જયેશભાઇને જોઈ તપાસીને મરણ જાહેર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકાળે મોતના બનાવ અંગે અ.મોતની નોંધ કરી વધુ વિગતો મેળવવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!