Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં બગથળા ગામે આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

મોરબીમાં બગથળા ગામે આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જીલ્લા પંચાયતની મોરબી આરોગ્ય શાખા અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી બગથળા ગામે પટેલ સમાજવાડી ખાતે આગામી તા.૨૦/૦૯ના સવારના ૦૯:૦૦ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ૧૮ થી ૬૫ વર્ષ અને ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. હોય તેવી કોઈ પણ વ્યક્તિ કે જેનું હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તેઓ રક્તદાન કરી શકે છે. ઉપરોક્ત માપદંડવાળા કોઈપણ લોકો દર ત્રણ મહીને રક્તદાન કરી શકે છે. દાન તો ગુજરાતીના લોહીમાં જ છે, તો લોહીનું દાન કેમ નહિ ? જેથી “રક્તદાન કરો, રક્તદાન કરાવો, કોઈનું જીવન બચાવવા સહયોગી બનો.” ની ઉક્તિને સાર્થક કરવા જરૂરથી રક્તદાન કરીએ.

બગથળા ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોવાથી ગામમાંથી દરેક લોકોને રક્તદાન કરવા અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્યને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!