કોર્ટના જાહેરનામાની અવગણના કરનાર આરોપી સામે વાંકાનેર કોર્ટ કર્મચારીએ નોંધાવી ફરીયાદ.
વાંકાનેર સિવિલ કોર્ટમાં ચાલતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના એક કેસમાં કોર્ટ દ્વારા મુદતે હાજર રહેવા જાહેરનામું બહાર પડાયા બાદ પણ આરોપી હાજર ન રહેતાં, કોર્ટના હુકમની અવગણના કરનાર આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરની સીનીયર સિવિલ કોર્ટમાં બેંચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયદેવસિંહ બચુભા ઝાલા ઉવ.૪૫ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ગુજરાત સિડ્સ એન્ડ ફર્ટીલાઈઝરના જવાબદાર વ્યક્તિ નરેશકુમાર ધુલાબભાઈ પટેલ રહે.દેવપુરા જી.મહેસાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફોજદારી કેસ ૧૦૧૬/૨૦૧૯ હેઠળ મોહમદસલીમ હાજીભાઇના વિરોધી તરીકે આરોપી નરેશકુમાર ધુલાભાઈ પટેલ સામે કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબ જાહેરનામું (ફોર્મ નં. ૪) તા.૨૩ જાન્યુ. ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.જે મુજબની ધોરણસર બજવણી થયા છતાં આરોપી કોર્ટમાં હાજર ન રહેતાં, કોર્ટના હુકમનો અનાદર કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે મુજબની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૦૯ મુજબની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે