Wednesday, June 25, 2025
HomeGujaratવાંકાનેરનાં જીનપરામાં આવેલ માંઘાતા મંદિરે શહેર ભાજપની ખાટલા બેઠક યોજાઈ

વાંકાનેરનાં જીનપરામાં આવેલ માંઘાતા મંદિરે શહેર ભાજપની ખાટલા બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં છેલ્લા 11 વર્ષથી સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. દેશના દરેક ખૂણે આ 11 વર્ષના વિકાસના યોગદાનની ઉજવણી વિકસિત ભારતના અમૃતકાલ રૂપે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગઈકાલે વાંકાનેરનાં જીનપરામાં આવેલ માંઘાતા મંદિરે વાંકાનેર શહેર ભાજપ મંત્રી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

ગઈકાલે વાંકાનેરનાં વોર્ડ નં 3 જીનપરા ખાતે માંઘાતા મંદિરે ખાટલા બેઠકનુ આયોજન રાખવામાં આવ્યુ હતું. જેમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષના સુશાસનની વાંકાનેર શહેર ભાજપ મંત્રી રમેશભાઈ મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ ખાટલ બેઠકમાં વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્સિંહ ઝાલા, યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા સહીત ભાજપના સભ્યો હાજર રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!