વાંકાનેરના અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકીયા ઉવ ૩૯ એ આરોપી મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા રહે. અમરસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૮/૦૬ના રોજ ઉપરોક્ત આરોપી શેરીમાં ગાળો બોલી દેકારો કરતો હોય, જે બાબતે બજારમાં આરોપી મળતા વિનોદભાઈએ શેરીમાં દેકારો કરવા પાછળનું કારણ પૂછતાં, આરોપીને સારું નહિ લાગતા, વિનોદભાઈને લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે ઝમગર મામલે ફરિયાફીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.