Tuesday, June 17, 2025
HomeGujaratમોરબીનો મચ્છુ ૩ ડેમમાં વરસાદી પાણીની આવક થતા એક દરવાજો અડધો ફૂટ...

મોરબીનો મચ્છુ ૩ ડેમમાં વરસાદી પાણીની આવક થતા એક દરવાજો અડધો ફૂટ ખોલાયો:હેઠવાસના ૨૧ ગામના લોકોને એલર્ટ કરાયા

મોરબીમાં ગઈકાલે રાત્રે વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. તેથી મોરબીના મચ્છુ ૩ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. અગાઉથી ૨૭.૯૫ રૂલ લેવલ મુજબ ભરેલા મચ્છુ ૩ ડેમમાં વધુ વરસાદી પાણીની આવક થતા દરવાજો ખોલવામાં આવ્યો છે. હાલ મચ્છુ ૩ ડેમમાં ૪૪૬ ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે ૪૪૬ ક્યુસેક પ્રવાહથી પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલતા હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મોરબી મચ્છુ ૩ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. મોરબીમાં ગઈકાલે રાત્રે વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. અગાઉથી ૨૭.૯૫ રૂલ લેવલ મુજબ ભરેલા મચ્છુ ૩ ડેમમાં વધુ વરસાદી પાણીની આવક થતા દરવાજો ખોલવામાં આવ્યો છે. હાલ મચ્છુ ૩ ડેમમાં ૪૪૬ ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે ૪૪૬ ક્યુસેક પ્રવાહથી પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો ખોલતા હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી, ગુંગણ,જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળીયા મિયાણા, હરિપર અને ફતેપર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!