Saturday, September 13, 2025
HomeGujaratરાજકોટ રજપૂતપરામાં જીવંતિકા આદ્ય સ્થાને આસો નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજકોટ રજપૂતપરામાં જીવંતિકા આદ્ય સ્થાને આસો નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજકોટના રજપૂતપરામાં આવેલ જીવંતિકા માઁ આદ્ય સ્થાને દર વર્ષની જેમ વર્તમાન વર્ષે આસો નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તા. ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી દરરોજ રાત્રે ધુન-ગરબાની રમઝટ સાથે કુમારિકા પૂજન તથા લક્કી ડ્રોની અનોખી ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ શહેરના રજપૂતપરા વિસ્તારમાં આવેલ જીવંતિકા માઁ આદ્ય સ્થાન પર દર વર્ષની માફક આ વર્ષે પણ આસો નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૨ સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ તા. ૧ ઑક્ટોબર બુધવાર સુધી મહોત્સવની ઉજવણી રહેશે. જેમાં દરરોજ રાત્રે રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી ધુન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ ગરબાની રમઝટ માણશે. આ મહોત્સવ દરમ્યાન દરરોજ એક કુમારિકાનું પૂજન કરવામાં આવશે તેમજ દરરોજ એક સાડી (પ્રસાદી) માટે લક્કી ડ્રો યોજાશે. વિશેષ વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં એક નોરતું વધતા કુલ દસ કુમારિકાનું પૂજન થશે. વધુ માહિતી તથા વિગતો માટે શ્રદ્ધાળુઓને મો. નં. ૯૯૨૫૩૨૧૬૩૮ તથા ૯૯૭૯૭૦૩૧૩૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!