સમસ્ત ભરવાડ સમાજ તેમજ રબારી સમાજના શ્રી મચ્છુ માતાજી, શ્રી પુનીયા મામાના પ્રાગટયદિન નિમીત્તે પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૧, ના અષાઢી બીજ ને તા. ૨૭-૦૬-૨૦૨૫ ને શુક્રવાર ના શુભ દિવસે સવારે ૯:૦૦ વાગ્યાથી શ્રી મચ્છુ માતાજીની જગ્યા, મહેન્દ્રપરા શેરી નં ૧૭ થી નીકળશે. જે શોભાયાત્રા દરમિયાન ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ,ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ રમઝટ બોલાવશે. તેમજ સાધુ સંતો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે.
સમસ્ત ભરવાડ સમાજ તેમજ રબારી સમાજના શ્રી મચ્છુ માતાજી, શ્રી પુનીયા મામાના પ્રાગટયદિન નિમીત્તે પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૧, ના અષાઢી બીજ ને તા. ૨૭-૦૬-૨૦૨૫ ને શુક્રવાર ના શુભ દિવસે સવારે ૯:૦૦ વાગ્યાથી શ્રી મચ્છુ માતાજીની જગ્યા, મહેન્દ્રપરા શેરી નં ૧૭ થી નીકળશે. અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થશે. સાથે યુવક અને યુવતીઓ દાંડીયારાસ, હુડો, સાંસ્કૃતિક રમતો રમતા શ્રી મચ્છુ માતાજી મંદિર (કોઠે), દરબારગઢ પહોંચશે, તો આ ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં ભરવાડ સમાજ તેમજ રબારી સમાજના ભાઇઓ, બહેનો અને યુવાનો તેમજ આબાલ વૃધ્ધ સૌને માતાજીના દર્શન કરવા તથા સંતદર્શન કરવાનો અવસર મળ્યો છે. ત્યારે બહોળી સંખ્યામાં ભરવાડ સમાજ અને રબારી સમાજમાં એકતાના દર્શન કરવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે શોભાયાત્રામાં રાસ રમઝટ ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ અને રિંકુ ભરવાડ બોલાવશે. તેમજ ડાક ડમરૂની રમઝટમાં ડાક કલાકાર તરીકે જે. કે. ટીંબા એન્ડ ગૃપ તા. ૨૭-૦૬-૨૦૨૫, શુક્રવાર રાત્રે ૧૦-૦૦ વાગ્યે મોરબીના દરબાર ગઢ મચ્છુ બારી શ્રી મચ્છુ માતાજીનું મંદિર ખાતે યોજવામાં આવશે. જેમાં તમામ માતાજીના બાનાધારી ભુવાશ્રીઓને જાહેર આમંત્રણ પાઠવાયું છે. જેની વધુ માહિતી માટે ગોકળભાઈ ખોડાભાઈ બાંભવા ૯૮૨૫૨ ૮૨૬૩૫, રમેશભાઈ રતાભાઈ ખીટ ૯૯૧૩૨ ૨૨૫૧૧, નાજાભાઈ હિન્દુભાઈ ગોલતર ૯૯૨૫૩ ૭૫૧૦૩, રમેશભાઈ હાજાભાઈ શીયાર ૮૮૪૯૩ ૭૪૦૩૦, મહેશભાઈ ધારાભાઈ વકાતર ૯૯૭૯૯ ૯૭૫૭૭, હરીભાઈ મોતીભાઈ રાતડીયા ૯૬૯૬૭ ૦૩૩૩૩ મુનાભાઈ મોતીભાઈ ટોળીયા ૯૯૨૫૪ ૯૧૩૩૦, રણછોડભાઈ દેવાભાઈ ખીટ ૯૯૧૩૧ ૪૯૬૬૦ નો સંપર્ક કરી શકાય છે. જે શોભાયાત્રામાં ઝાઝાવડાદેવ – ગ્વાલીનાથ મહાદેવ ગામ થરા (બનાસકાંઠા)ની પરમગુરૂગાદી ના સંત શીરોમણી મહંતશ્રી ધર્મધુરંધર – ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરીજી શિવપુરીજી મહારાજ, મહંત શ્રી દેવાભગત સુરાભગત ગોલતર, ઠાકર મંદિર વેજલપર, રતનપુરીજી કેદારપુરીજી રાણાબાપા આશ્રમ માથક, રોહીતપુરીજી પાપનાસણા ઠાકર મંદિર તરણેતર, શ્રી મહેશપુરી (મુન્નાબાપુ) શ્રી શિવપુરીધામ – દ્વારકા સહિતના સંત દર્શન માટે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને લઈને વિવિધ દાતાઓ દ્વારા સહયોગ આપવાના આવ્યો છે. જે કાર્યક્રમ દરમિયાન મોરબીના શ્રી મચ્છુ યુવા ગ્રુપ દ્વારા તા. ૨૭/૦૬/૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૭ વાગ્યે મહા આરતી યોજવામાં આવશે.. જે કાર્યક્રમમાં શ્રી મચ્છુ મિત્ર મંડળ શ્રી મચ્છુ માતાજીની જગ્યા, મહેન્દ્રપરા શેરી નં ૧૭ મોરબી, ગાંડુભગત બીજલભગત ગોલતર, દેવાભગત ગાંડુભગત ગોલતર, કિશનભગત દેવાભગત ગોલતર મો. ૯૩૭૭૧ ૨૭૧૦૬, મો. ૯૯૧૩૨ ૨૨૬૪૦, ૯૯૭૯૫ ૫૮૫૨૨ અને મો. ૯૭૨૩૯ ૮૨૩૧૦ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.