મોરબીમાં આરોગ્ય જાગૃતિ અને એનિમિયા નિદાન માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આઇડીબીઆઈ બેંકના સહયોગથી, રોટરી ક્લબ ઓફ મોરબી અને રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટ કોસ્ટ દ્વારા બાજીરાજ બા કન્યા શાળામાં હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં ૧૦૨ વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબિન લેવલ ચકાસી, જરૂરિયાત મુજબ આયર્ન અને ઝીંકની ટેબલેટ આપવામાં આવી હતી.
એક પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આઇડીબીઆઈ બેંકના સહયોગથી રોટરી ક્લબ ઓફ મોરબી તથા રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટ કોસ્ટના સંયુક્ત ઉપક્રમે બાજીરાજ બા કન્યા શાળા ખાતે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૨ વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબિન લેવલ ચેક કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ હિમોગ્લોબીન લેવલ વધે તે માટે આયર્ન તથા ઝીંકની ટેબલેટ આપવામાં આવી હતી. આ તકે લેહરૂ લેબોરેટરીના ટેકનીશીયન રમેશભાઈએ સેવા આપી હતી.
આ પ્રોજેક્ટમાં મોરબી આઇડીબીઆઈ બેંકના મેનેજર રોબિનભાઈ નાગપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ રોટરી ક્લબ રાજકોટના રોટે. કેતનભાઇ જોશીના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટે.રષેશભાઈ મહેતા ઉપરાંત પ્રેસિડેન્ટ કિશોરસિંહ જાડેજા, બંસી શેઠ, હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા તથા અશોકભાઈ મહેતાએ વિશેષ હાજરી આપી હતી.