Monday, April 28, 2025
HomeGujaratમોરબીમાં "શ્રમદાન ફોર મોરબી" અંતર્ગત ૧ મે ના રોજ રવાપર ચોકડી ખાતે...

મોરબીમાં “શ્રમદાન ફોર મોરબી” અંતર્ગત ૧ મે ના રોજ રવાપર ચોકડી ખાતે વિશાળ સફાઈ ઝુંબેશ.

મોરબી મહાનગરપાલિકા અને સિરામિક એશોસિએશન દ્વારા ૧ મે ૨૦૨૫ના રોજ સવારે ૮ વાગ્યે રવાપર ચોકડી ખાતે વિશાળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા નગરજનો તથા વિવિધ સંસ્થાઓને આ ઝુંબેશમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા કમિશ્નરની યાદીમાં જણાવ્યા મુજબ, “શ્રમદાન ફોર મોરબી” કાર્યક્રમના ભાગરૂપે, શહેરની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિશાળ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ તા. ૦૧ મે ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે રવાપર ચોકડી ખાતે શરૂ થશે. મહાનગરપાલિકા અને સિરામિક એશોસિએશનના સંયુક્ત પ્રયાસથી યોજાનારી આ ઝુંબેશમાં નગરજનોનો સહયોગ આવશ્યક ગણવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સામાજિક, ધાર્મિક અને બિન-સહકારી સંસ્થાઓ તેમજ સામાન્ય નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા માટે અનુરોધ કરાયો છે, જેથી મોરબી શહેરને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં સહકાર મળી શકે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે નગરજનોને આ ઝુંબેશમાં ઉપસ્થિત રહીને સ્વચ્છતા માટે યોગદાન આપવા વિનંતી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!