મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અન્વયે જીલ્લા સ્તરીય ડીજીઆરસી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના વયજ્ઞો માટે આયુષ્માન કાર્ડ બનાવાની પ્રક્રિયા ઝડપી કરવા અને યોજનાની કામગીરી વધુ અસરકારક બને તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતા હેઠળ PMJAY હેઠળની ડીજીઆરસી (ડિસ્ટ્રિક્ટ ગ્રીવનસ રિડ્રેસલ કમિટી) ની બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ વયવંદના યોજના અંતર્ગત ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને કોઈ આવક મર્યાદા વિના ફક્ત આધારકાર્ડના આધારે આયુષ્માન કાર્ડ આપવાની યોજના કાર્યરત છે. તેમણે મોરબી જીલ્લાના તમામ વડીલોને આ લાભ માટે આગળ આવી કાર્ડ બનાવાવવા અપીલ કરી હતી.
જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ અને અન્ય અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં PMJAY હેઠળ જોડાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને યોજનાની માર્ગદર્શિકા મુજબ લાભાર્થીઓને સંપૂર્ણ સારવાર, દર્દીઓના મુસાફરી ભથ્થા, ૧૫ દિવસ સુધીની દવા અને ફોલોઅપ સારવાર મફતમાં આપવા સૂચના આપવામાં આવી હતી.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવએ લોકોને આયુષ્માન કાર્ડ બનાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્ર, યોજનાથી જોડાયેલી ખાનગી હોસ્પિટલ અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું