Monday, July 8, 2024
HomeGujaratમોરબીમાં અષાઢી બીજ અને મોહરમ પર્વની ઉજવણીને અનુસંધાને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં...

મોરબીમાં અષાઢી બીજ અને મોહરમ પર્વની ઉજવણીને અનુસંધાને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

અષાઢી બીજને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે રથયાત્રા અને મહોરમ પર્વ શાંતિથી ઉજવાય અને દરેક લોકો પોતાનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે તે માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં મોરબી ડિવિઝન પીઆઈ એચ.એ જાડેજા દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને રથયાત્રાના આયોજકોને બોલાવી મીટીંગ યોજી હતી.અષાઢીબીજના દિવસે કાઢવામાં આવતી પરંપરાગત મચ્છુ માતાજીની શોભાયાત્રા ને મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ એ માટે શાંતિ સમિતિની મીટીંગ યોજી હતી. જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આયોજકોને કોઈ તકલીફ હોય તો જણાવવા કહ્યું હતું.તેમજ આયોજકોને રથયાત્રા દરમિયાન ડ્રેસ કોડ રાખવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!