Thursday, June 26, 2025
HomeGujaratટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે માનસિક અસ્થિરતા સબબ આધેડનું કુવામાં પડતા મોત.

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે માનસિક અસ્થિરતા સબબ આધેડનું કુવામાં પડતા મોત.

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા ૪૪ વર્ષના આધેડે માનસિક અસ્થિરતાના કારણે પોતાના ગામની સીમમાં આવેલ વાડીના કુવામાં પડતા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મહેશભાઈ મોહનભાઈ પરમાર ઉવ.૪૪ રહે. નેસડા (ખા) ગામ વાળા તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ વહેલી સવારના સમયે માનસિક અસ્થિરતાની હાલતમાં પોતે પોતે ગામની સીમમાં આવેલા કેશુભાઈ અમરાભાઈ સોલંકીની વાડીએ આવેલા કુવામાં પડતાં પાણીમાં ડુબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે ટંકારા પોલીસે મૃતકના કુટુંબી પાસેથી વિગતો મેળવી મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!