ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા ૪૪ વર્ષના આધેડે માનસિક અસ્થિરતાના કારણે પોતાના ગામની સીમમાં આવેલ વાડીના કુવામાં પડતા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મહેશભાઈ મોહનભાઈ પરમાર ઉવ.૪૪ રહે. નેસડા (ખા) ગામ વાળા તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ વહેલી સવારના સમયે માનસિક અસ્થિરતાની હાલતમાં પોતે પોતે ગામની સીમમાં આવેલા કેશુભાઈ અમરાભાઈ સોલંકીની વાડીએ આવેલા કુવામાં પડતાં પાણીમાં ડુબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે ટંકારા પોલીસે મૃતકના કુટુંબી પાસેથી વિગતો મેળવી મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.