Thursday, October 24, 2024
HomeGujaratમાળીયા(મી.)ના વર્ષામેડી ગામે છરીના ઘા ઝીંકી આધેડની હત્યા

માળીયા(મી.)ના વર્ષામેડી ગામે છરીના ઘા ઝીંકી આધેડની હત્યા

બનાવની માળીયા(મી.) પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મી.) તાલુકાના વર્ષામેડી ગામે ભરતભાઇ ગગારામભાઈ વાઘેલા (ઉ.વ.૫૧) ગત સાંજે ગામમાં હતા ત્યારે દિનુભાઈ ઉર્ફે નીનુ પ્રભુભાઈ મહાલીયા (ઉ.વ.૨૪) વાળાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતાં માળીયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બનાવ અંગે મૃતકના પત્ની ભાનુબેનએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભાનુબેન ભરતભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) ના દીકરા હરેશભાઈએ દોઢેક માસ પહેલા આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન જીજ્ઞાસા સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદી ભાનુબેન તથા તેના મરણજનાર પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (ઉ.વ.૫૧) મોટરસાયકલ લઈને વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હોય તે વખતે આરોપી દિનેશ ઉર્ફે નીનો એ અચાનક છરી વડે હુમલો કરી ગાળો આપી ડાબા પડખામાં બગલ નીચે પાંસળીના ભાગે તથા ડાબી બાજુ પીઠના ભાગે છરીના એક-એક જીવલેણ ઘા મારી હત્યા કરી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!