Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં ભાગીદારીમાં કરેલ ધંધામાં મનદુઃખ થતા આધેડને ભાગીદારોએ માર માર્યો

મોરબીમાં ભાગીદારીમાં કરેલ ધંધામાં મનદુઃખ થતા આધેડને ભાગીદારોએ માર માર્યો

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રે પોતાના ધંધાના ભાગીદારને ટ્રક ડમ્પર ચલાવવા બાબતે માથાકૂટ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, શેરી નં-૧, આંબેડકરનગર કોલોની, મોરબી-૦૨ ખાતે રહેતા છગનભાઇ રઘુભાઇ પરમાર નામના આધેડને સંજયભાઇ વિનુભાઇ રાઠોડ સાથે ભાગીદારીનો ટ્રક ડમ્પર હોય જે ટ્રક ડમ્પર ચલાવવા બાબતે ભાગીદાર સંજયભાઇ વિનુભાઇ રાઠોડ તથા તેના પિતાવિનુભાઇ રાઠોડે ફરીયાદી સાથે બોલાચાલી કરી, ફરીયાદીને બેફામ ગાળો આપીને, આડેધડ ઢીકાપાટ્ટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી સમગ્ર મામલે છગનભાઇ રઘુભાઇ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!