હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં વાડીના મકાનની છતમાં પ્રેમી યુગલે દુપટ્ટા વડે સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક યુવાનની ઉંમર ૨૪ અને યુવતીની ઉંમર માત્ર ૧૭ વર્ષની હતી. બંનેએ ક્યાં કારણોસર જીવન ટુંકાવ્યું એ પોલીસ તપાસમાં સામે આવશે, હાલ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલી નારાયણભાઈ લવજીભાઈ પટેલની વાડીએ એક યુવક અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં દરજીપુરા ફળીયું રાયણ તળાવડી આજવા કમ્પાઉન્ડ વડોદરાના વતની હાલ દેવળીયા ગામે નારાયણભાઈની વાડીએ રહેતા વિપુલકુમાર મુકેશભાઈ નાયકા ઉવ.૨૪ તથા મૂળ ઉબેરા ગામ, જી. વડોદરાની નિવાસી હાલ નારાયણભાઈની વાડીએ રહેતા રીયાબેન પુનમભાઈ તડવી ઉવ.૧૭ એ ગઈકાલ તા.૧૨ જૂનના રોજ નારાયણભાઈની વાડીએ મકાનની છતમાં લોખંડની એન્ગલમાં દુપટ્ટો બાંધી બંનેએ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતકોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે