હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ૧૭ વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર લીંબુના બગીચામાં ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા પુજાબેન દિનેશભાઈ આકરીયા ઉવ.૧૭ એ લીંબુના બગીચામાં તા. ૨૧ મેના રોજ બપોરના અજાણ્યા કારણોસર ખડમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી પરિવારજનોએ તરત જ તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૨૮ મેના રોજ પુજાબેનનું મૃત્યુ થયું હતું. હળવદ પોલીસે મૃતકના પિતા દિનેશભાઈ સોમાભાઈ આકરીયા રહે-ડુંગરપુર તા.હળવદ પાસેથી પ્રાથમિક વિગત એવી અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે