Friday, September 20, 2024
HomeGujaratમોરબી તળાવીયા શનાળા નજીક બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવી : પોલીસ...

મોરબી તળાવીયા શનાળા નજીક બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવી : પોલીસ તપાસ શરૂ

મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામે નવજાત બાળકી બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ થયો છે .

- Advertisement -
- Advertisement -

આજ રોજ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સિમમાંથી બિનવારસી નવજાત બાળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ કોઈએ આ બાબતે ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરતા જ ૧૦૮ ની ટીમે તુરંત પહોંચીને નવજાત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ આ બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ બાળકી ને શું કારણે આ રીતે મૂકી ગયા જેવા અનેક સવાલોના જવાબ આ બાળકના માતા પિતા જ આપી શકે એમ હોય જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા નવજાત બાળકી ના નિર્દય માતા પિતાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!